કોર્ટે બાબાને કર્યો સવાલ: ભ્રામક જાહેરાતની તુલનામાં માફીનામું સાવ ટચુકડું કેમ?
- 23 Apr, 2024
પતંજલિ આયુર્વેદ દ્વારા લોકોને ખોટી જાહેરાતો દ્વારા ગેરમાર્ગે દોરવાના મામલાની આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટ સમક્ષ બાબા રામદેવ પણ હાજર હતા. કોર્ટ સામે હાજર થતા પહેલા કોર્ટે અગાઉ કહ્યાં મુજબનું માફીનામું પણ બાબા રામદેવની સંસ્થા પતંજલિએ જાહેર કર્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે ખોટી જાહેરાત આપવા અંગેની ભૂલ ફરીથી કરાશે નહીં. કંપનીએ કહ્યું છે કે તે કોર્ટનો પણ આદર રાખશે. સુપ્રીમ કોર્ટે બાબા રામદેવને સવાલ કરતા કહ્યું હતું કે શું માફીનામું એટલું જ મોટું છે, જેટલી ગેરમાર્ગ દોરનારી જાહેરાત હતી.
આ અંગેનું માફીનામું એકમાત્ર ઈન્ડિયન એક્સપ્રેસમાં જાહેર કરવામાં આવ્યું છે તેમાં પતંજલિ આર્યુવેદ તરફથી સુપ્રીમ કોર્ટને કહેવામાં આવ્યું છે કે તે કોર્ટ અને બંધારણનો આદર જળવાય તે માટે પોતાની પ્રતિબદ્ધતા પર કાયમ છે. સાર્વજનિક માફીમાં બાબા રામદેવે પોતાના વકીલો દ્વારા કોર્ટમાં નિવેદન આપ્યા પછી પણ પતંજલિની જાહેરાત છપાવવા અને પ્રેસ કોન્ફરન્સ કરવા અંગે માફી માંગી છે.
પતંજલિએ માફીનામામાં શું કહ્યું છે
બાબા રામદેવે પતંજલિ આયુર્વેદ તરફથી એવા સમયે માફી માંગી છે, જ્યારે સુપ્રીમ કોર્ટે ગેરમાર્ગે દોરે તેવી ફરિયાદને લઈને રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણનો ઉધડો લીધો હતો. માફીનામામાં એવું કહેવામાં આવ્યું છે કે અમે એ બાબતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ કે ભવિષ્યમાં આવી ભૂલ બીજી વખત થશે નહિ.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ